દિયોદર ખાતે નશા બંધી સપ્તાહ દિન ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ખાતે આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે જિલ્લા નશા બંધી અધિકારી એન એ દેવાણી, તેમજ જિલ્લા નશા બંધી સુપરિટેન્ડ એસ પી વાઘેલા ના અધ્યક્ષ સાથે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવમાં આવ્યો હતો. જેમાં વર્તમાંન સમય લોકો દારૂ, ચરસ, બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા, છીકણી, અફીણ,મેડિકલ માં મળતી નશાની ટિકડીઓ જેવા અનેક વ્યસન માણસ ને કેન્સર કે મોટી બીમારી ઓ નોતરે છે. જેને અટકાવવા માટે નશા બંધી મુક્તિ ના અમલીકરણ માટે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, દિયોદર ડી.વાય.એસ.પી. પી.એચ.ચૌધરી, પી.એસ.આઈ. જી. કે. જાડેજા, તાલુકા ડેલીકેટ માનજીભાઈ જોષી, ભરતભાઇ અખાણી વગેરે આગેવાનો હાજર રહી ઉજવણી કરી હતી.

અહેવાલ : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment